Gujarati News

Gujarati News

News of Tuesday, 15th September 2020

ભાવનગરમાં કોરોનાથી બેના મોત : ૩૩ પોઝીટીવ કેસો

ભાવનગર ,તા.૧૫:  જિલ્લામા વધુ ૩૩ નવા કોરોના પોઝીટીવ કેસ નોંધાતા જિલ્લામા કોરોના પોઝિટિવ કેસોની સંખ્યા ૩,૫૨૨ થવા પામી છે. જેમાં શહેરી વિસ્તારમા ૧૮ પુરૂષ અને ૭ સ્ત્રી મળી કુલ ૨૫ કેસો નોંધાયા છે.

જયારે તાલુકાના બુધેલ ગામ ખાતે ૧, મહુવા ખાતે ૨, પાલીતાણા ખાતે ૧, સિહોર ખાતે ૧, સિહોર તાલુકાના સોનગઢ ગામ ખાતે ૧, ગારીયાધાર ખાતે ૧ તેમજ ગારીયાધાર તાલુકાના મોટી વાવડી ગામ ખાતે ૧ કેસ મળી કુલ ૮ લોકોના કોરોના રીપોર્ટ પોઝીટીવ આવતા તેમને વધુ સારવાર માટે દાખલ કરવામા આવેલ છે.

મહાનગરપાલિકા વિસ્તારના ૩૪ અને તાલુકાઓના ૨૮ એમ કુલ ૬૨ કોરોના પોઝિટિવ દર્દી કોરોનામુકત થતા તેને હોસ્પિટલમાંથી રજા અપાઈ છે. ભાવનગર શહેર તથા મહુવા ખાતે રહેતા કોરોના પોઝિટિવ દર્દીઓના સારવાર દરમ્યાન અવસાન થયેલ છે.

આમ જિલ્લામા નોંધાયેલા ૩,૫૨૨ કેસ પૈકી હાલ ૪૨૬ દર્દીઓ સારવાર હેઠળ છે.

જયારે અત્યાર સુધીમા કુલ ૩,૦૩૪ દર્દીઓને ડિસ્ચાર્જ કરવામા આવ્યા છે તેમજ જિલ્લામા ૫૫ દર્દીઓના અવસાન થયેલ છે.

(11:07 am IST)