Gujarati News

Gujarati News

News of Saturday, 15th August 2020

ભાવનગર જિલ્લામા ૩૪ કોરોના પોઝિટિવ કેસો નોંધાયા : ૩૧ દર્દીઓ બન્યા કોરોનામુક્ત

જિલ્લામાં નોંધાયેલા ૨,૦૭૨ કેસો પૈકી ૪૨૧ દર્દીઓ હાલ સારવાર હેઠળ

ભાવનગર :ભાવનગર જિલ્લામા આજરોજ ૩૪ નવા કોરોના પોઝીટીવ કેસ નોંધાતા જિલ્લામા કોરોના પોઝીટીવ કેસોની સંખ્યા ૨,૦૭૨ થવા પામી છે. જેમાં ભાવનગર શહેરી વિસ્તારમા ૧૧ પુરૂષ અને ૮ સ્ત્રી મળી કુલ ૧૯ કેસો નોંધાયા છે. જ્યારે તાલુકાઓમા ભાવનગર તાલુકાના આધેવાડા ગામ ખાતે ૨, ગારીયાધાર ખાતે ૧, મહુવા તાલુકાના કરમદીયા ગામ ખાતે ૧, મહુવા તાલુકાના ભાદરા ગામ ખાતે ૧, પાલીતાણા ખાતે ૪, સિહોર તાલુકાના ઘાંઘણી ગામ ખાતે ૧, સિહોર તાલુકાના ગઢુલા ગામ ખાતે ૧, સિહોર તાલુકાના આંબલા ગામ ખાતે ૧, સિહોર ખાતે ૧, સિહોર તાલુકાના ખારી ગામ ખાતે ૧ તેમજ ઉમરાળા તાલુકાના ધારૂકા ગામ ખાતે ૧ કેસ મળી કુલ ૧૫ લોકોના કોરોના રીપોર્ટ પોઝીટીવ આવતા તેમને વધુ સારવાર માટે દાખલ કરવામા આવેલ છે.

 

   જ્યારે આજરોજ ભાવનગર મહાનગરપાલિકા વિસ્તારના ૨૦ અને તાલુકાઓના ૧૧ એમ કુલ ૩૧ કોરોના પોઝિટિવ દર્દી કોરોનામુક્ત થતા તેને હોસ્પિટલમાંથી રજા અપાઈ છે. ભારત સરકારની નવી માર્ગદર્શિકા પ્રમાણે આ તમામ દર્દીઓની આરોગ્ય ચકાસણી કરતા અને તેઓ માર્ગદર્શિકાના માપદંડો પ્રમાણે સ્વસ્થ જણાતા આ તમામ દર્દીઓને આજરોજ હોમ આઈસોલેશનમા રહેવા માટે હોસ્પિટમાથી રજા આપવામા આવી હતી. આ તમામ દર્દીઓએ હોસ્પિટલામાથી ડિસ્ચાર્જ થયા બાદ ૭ દિવસ સુધી ફરજીયાત હોમ આઈસોલેશનમા રહેવાનુ રહેશે.

આમ જિલ્લામા નોંધાયેલા ૨,૦૭૨ કેસ પૈકી હાલ ૪૨૧ દર્દીઓ સારવાર હેઠળ છે. જ્યારે અત્યાર સુધીમા કુલ ૧,૬૧૦ દર્દીઓને ડિસ્ચાર્જ કરવામા આવ્યા છે તેમજ જિલ્લામા ૩૪ દર્દીઓનુ અવસાન થયેલ છે.

(10:18 pm IST)