Gujarati News

Gujarati News

News of Thursday, 15th July 2021

જામનગરમાં ધો.૧૦ અને ૧૨ના બોર્ડના રિપીટર છાત્રોની પરીક્ષાનો પ્રારંભ

જામનગર : જામનગરમાં ધોરણ ૧૦ અને ૧૨ના રીપીટર વિદ્યાર્થીઓ માટે પરીક્ષા લેવામાં આવી રહી છે. જામનગર માં ૨૪૩૯ સામાન્ય પ્રવાહના વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. જયારે ૩૦૫ વિજ્ઞાન વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓ પરીક્ષા આપનાર છે.ધો. ૧૦ના ૬૭૨૭ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. જામનગરમાં સામાન્ય પ્રવાહની પરીક્ષા આઠ કેન્દ્રો પર યોજાશે જયારે ધોરણ ૧૦ ની પરીક્ષા શહેરમાં કુલ ૨૯ કેન્દ્રો પર યોજાઇ રહી છે. ત્યારે પરિક્ષા ના પ્રારંભે જિલ્લા શિક્ષણાધિકારી એસ.એલ. ડોડીયાએ વિદ્યાર્થીઓ ને આવકાર્યા હતા.વિજ્ઞાન પ્રવાહની પરીક્ષા કુલ બે કેન્દ્ર પર યોજાશે.(અહેવાલ : મુકુંદ બદિયાણી, તસવીર : કિંજલ કારસરીયા,જામનગર)

(12:52 pm IST)