Gujarati News

Gujarati News

News of Thursday, 15th July 2021

જોડિયાધામની 'રામવાડી'માં ગુરૂપુર્ણિમા નિમિતે સદગુરૂદેવશ્રી ભોલેબાબાજીનું વિશેષ પૂજન

મહાઆરતી 'મહાપ્રસાદ'નું આયોજનઃ રામવાડીના બ્રહ્મલીન મહંતશ્રી ભોલેદાસજીબાપૂની સમાધિ ખાતે પણ પૂજન થશે

વાંકાનેર, તા.૧૫: જામનગર જિલ્લાના જોડિયાધામમાં આવેલ સુપ્રસિદ્ઘ ધાર્મિક સ્થળ શ્રી ઉદાસીન સંત કુટિર 'રામવાડી' આશ્રમ ખાતે પ્રતિ વર્ષ મુજબ આ વરસે પણ સરકારની ગાઈડ લાઈન અનુસાર ગુરુપૂર્ણિમાની ભકિતમયના દિવ્ય માહોલ વચ્ચે ઉજવણી કરવામાં આવશે. ગુરુપૂર્ણિમાના પાવન પુણ્યશાળી દિવ્ય અવસરે સવારે પ્રાતઃ સ્મરણીય ૧૦૦૮ સદગુરૂદેવશ્રી ભોલેબાબાજીનું વિશેષ 'ગુરૂપુજન' કરવામાં આવશે તેમજ  અર્ચદાસ  કરવામાં આવશે, આ ઉપરાંત જોડિયા ' રામવાડી'ના બ્રહ્મલીન મહંત પૂજય સંતશ્રી ભોલેદાસજીબાપૂની સમાધિએ ચરણપાદુકાનું તેમજ ગુરૂપુજન ભાવિક, ભકતજનો દ્વારા કરવામાં આવશે, ત્યારબાદ બપોરે બાર કલાકે પૂજય સદગુરૂદેવશ્રી ભોલેબાબાજીના મંદિરમાં  ઢોલ, નગારા, અને ઝાલરોના નાદ, શખ્ખોથી 'મહા આરતી' કરવામાં આવશે જ આરતી રામવાડીના અનન્ય ભકતજન શ્રી શનીભાઈ વડેરા કરશે. આરતી બાદ સહુ ગુરૂ ભકતજનો  'મહા પ્રસાદ'  લેશે જ યાદી ભોલેબાબા સેવક સમુદાય દ્વારા જણાવાયું છે.

(11:52 am IST)