Gujarati News

Gujarati News

News of Thursday, 15th July 2021

લોઠડા પાસે કારખાનાની ઓરડીમાં ભરતભાઇનો ફાંસો ખાઇ આપઘાત

યુવાને માનસીક બીમારીથી કંટાળી પગલુ ભર્યું : બે પુત્રીએ પિતાની છત્રછાયા ગુમાવી

રાજકોટ,તા. ૧૫ : લોઠડા ગામ જે.કે.ગ્રીન ઇન્ડસ્ટ્રીઝ એરીયામાં આવેલા કારખાનાની ઓરડીમાં રહેતા યુવાને માનસીક બીમારીથી કંટાળી ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતા અરેરાટી વ્યાપી ગઇ છે.

મળતી વિગત મુજબ લોઠડા ગામે પાસે જે.કે.ગ્રીન ઇન્ડસ્ટ્રીઝ એરીયામાં આવેલા વાઇબ્રન્ટ કે.એમ.કારખાનામાં કામ કરતા અને કારખાનાની ઉપર આવેલી ઓરડીમાં રહેતા ભરતભાઇ સોમાભાઇ ચાવડા (ઉવ૩૨) ગઇ કાલે પોતાની અરોડીમાં હતો ત્યારે ઓરડીમાં લોખંડની આડીમાં સાડી બાંધી ગળાફાંસો  ખાઇ લીધો હતો. પરિવારજનો યુવાનને લટકતી હાલતમાં જોઇ દેકારો મચાવતા આસપાસના લોકો એકઠા થઇ ગયા હતા બાદ કોઇએ ૧૦૮ માં જાણ કરતા ૧૦૮ ના ઇએમટી રવિભાઇ રાઠેડે તપાસ કરતા તેનુ મૃત્યુ નિપજ્યુ હોવાનું જણાતા પોલીસને જાણ કરવામાં આવી હતી. જાણ થતા આજીડેમ પોલીસ મથકના એએસઆઇ એમ.બી. જાડેજા તથા રાઇટર યોગરાજસિંહએ સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી હતી. મૃતક ભરતભાઇ બેભાઇમાં મોટા હતા તેણે માનસીક બીમારીથી કંટાળી પગલુ ભર્યું હોવાનું ખુલ્યુ હતું. બે પુત્રીએ પિતાની છત્રછાયા ગુમાવતા પરિવારમાં શોક વ્યાપી ગયો છે.

ઝેરી જનાવર કરડતા સરદારભાઇનું મોત

પાડાસણ ગામમાં રહેતા સરદારભાઇ કાળુભાઇ શીંગળીયા (ઉવ.૪૬) રાત્રે કાળુભાઇ જાદવભાઇ શીંગળીયાની વાડીએ સુતા હતા. ત્યારે તેના હાથની આંગળનમાં કોઇ ઝેરી જનાવર કરડી જતા તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. ત્યાં તેનુ સારવાર દરમ્યાન મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે હેડ કોન્સ. પરેશભાઇ સાંગાણીએ કાર્યવાહી કરી હતી.

(11:44 am IST)