Gujarati News

Gujarati News

News of Thursday, 15th July 2021

વાંકાનેરના રાતાવીરડા ગામની સીમમાં સાપ કરડતા શ્રમિક આધેડનું મોત

મૂળ આંધ્રપ્રદેશના વતની અને હાલ વાંકાનેર નજીક પેપર મિલમાં કામ કરતા કામદારનું મોત

વાંકાનેર તાલુકાના રાતાવીરડા ગામની સીમમાં સાપ કરડતા શ્રમિક આધેડનું મોત થયું હતું જે બનાવની નોંધ કરી પોલીસે કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે

મૂળ આંધ્રપ્રદેશના વતની અને હાલ વાંકાનેરના રાતાવીરડા નજીકની દિયાન પેપરમિલમાં રહીને કામ કરતા વૈદું કોડાલુ રામૈયાભાઈ વામ્યુંગડ (ઉ.વ.૪૪) ને રાત્રીના સમયે સાપ કરડતા બેભાન અવસ્થામાં મોરબી સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવેલ જ્યાં ફરજ પરના ડોકટરે મૃત જાહેર કર્યા છે મૃતદેહ ફોરેન્સિક પીએમ અર્થે રાજકોટ ખસેડી વાંકાનેર તાલુકા પોલીસે બનાવની નોંધ કરી તપાસ ચલાવી છે

(12:34 am IST)