Gujarati News

Gujarati News

News of Thursday, 15th February 2018

પાટણવાવ ઢંકગિરી મહાતિર્થે ત્રણ દિવસ સાધ્વીરત્ના પૂ. ચારૂવ્રતાશ્રીજીની નિશ્રામાં ધાર્મિક કાર્યક્રમ

પાટણવાવ તા. ૧પ :.. ઢંકગીરી મહાતિર્થ તળેટી ખાતે તા. ૧૬ થી ૧૮ ત્રણ દિવસ માટે ધાર્મિક કાર્યક્રમનું આયોજન હાથ ધરાયું છે. જેમાં તા. ૧૬ મીએ શુક્રવારના રોજ બપોરના ર કલાકે ત્રણ પગલા ડેરી માટે પાટલા પૂજન, તા. ૧૭ મીને શનીવારના રોજ સવારે ૧૧ કલાકે ખનનૂવિધી અને તા. ૧૮ મીને રવિવારના રોજ સિધ્ધચક્ર યંત્રમય જિનાલય અને ડુંગર ઉપર ગિરીરાજ ઉપરના તથા ગામના જિનાલય આમ બધા જ જિનાલયો પર સવારે ૯ વાગે ઢંકગિરી તિર્થોદ્વારીકા સાધ્વીરત્ના પૂ. ચારૂવ્રતાશ્રીજી મ.સા.ની નિશ્રામાં ધજા ફરકાવવામાં આવનાર છે.

આ ત્રણ દિવસના ધાર્મિક કાર્યક્રમનો લાભ લેવા ભાગ્યશાળી શ્રાવક-શ્રાવિકાઓને ઓસમ જૈન ટેમ્પલ ટ્રસ્ટ દ્વારા એક યાદીમાં નિમંત્રણ પાઠવેલ છે.

(11:20 am IST)