Gujarati News

Gujarati News

News of Thursday, 15th February 2018

શનિવારે ખંભાળીયામાં સંસ્કાર એજ્યુકેશન ટ્રસ્ટની સ્કૂલ અને કોલેજ બિલ્ડીંગનું ઉદ્ઘાટન

ખંભાળીયા, તા. ૧૫ :. સંસ્કાર એજ્યુકેશન ટ્રસ્ટ એસ.એન.ડી.ટી. સ્કૂલમાં દાતાઓના સહયોગથી બનેલ બિલ્ડીંગનો ઉદઘાટન સમારોહ તા. ૧૭-૨-૧૮ના દિને યોજાયો છે.

શેઠ સુરેશભાઈ મુળજી દત્તાણી પરિવાર દ્વારા તેમના વડીલોની સ્મૃતિમાં બનાવાયેલ માતુશ્રી દમયંતિબેન મુળજીભાઈ દત્તાણી તથા શેઠ શ્રી મુળજીભાઈ ગોરધનદાસ દત્તાણી હાયર સેકન્ડરી સાયન્સ સ્કૂલ તથા રૂપાબેન સુરેશભાઈ દત્તાણી કોલેજ ઓફ એજ્યુકેશનના બિલ્ડીંગનું ઉદઘાટન અને ટ્રસ્ટને અર્પણ કરવાનો કાર્યક્રમ તા. ૧૭-૨-૧૮ના રોજ યોજાયો છે.

કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને વૈષ્ણવાચાર્ય ૧૦૮ શ્રી વસંતબાવા મહોદય પોરબંદર રહેશે. જ્યારે મુખ્ય અતિથિ તરીકે સાંસદ પૂનમબેન માડમ અને અતિથિઓ તરીકે શ્રીમતિ નીલમબેન સુધીરભાઈ લાલ, યુસુફભાઈ મુછાળા, જિસસ સુધીરભાઈ લાલ, ડો. હસમુખભાઈ પડીયા, મનસુખભાઈ બારાઈ તથા દાતાઓ સુરેશભાઈ દત્તાણી, શ્રીમતિ રૂપાબેન દત્તાણી, મોરારજીભાઈ દત્તાણી તથા ગોરધનદાસ આણંદજી પરિવાર ઉપસ્થિત રહેશે તથા ટ્રસ્ટીઓ અરવિંદભાઈ બરછા, તુલસીભાઈ ગોકાણી, પ્રતાપભાઈ દત્તાણી વિ. ઉપસ્થિત રહેશે.

(11:18 am IST)