Gujarati News

Gujarati News

News of Sunday, 14th August 2022

મોરબીઃ આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત મોરબી સહીત સમગ્ર દેશમાં ઠેર ઠેર ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે મોરબી નગરપાલિકા દ્વારા શહેરના હાર્દ સમાન ઉમિયા સર્કલ ખાતે ૧૦૮ ફૂટ ઉંચો રાષ્ટ્રધ્વજ લહેરાવવાનું આયોજન કરાયું હોય જેનો આજે લોકાપર્ણ સમારોહ મંત્રી બ્રિજેશભાઈ મેરજાના હસ્તે કરવામાં આવ્યો હતો

ઉમિયા સર્કલ ખાતે ૧૦૮ ફૂટ ઉંચો રાષ્ટ્રધ્વજ કાયમી લહેરાવવા માટે આયોજન કરાયું છે ત્યારે આજે રાજ્યમંત્રી બ્રિજેશભાઈ મેરજાના હસ્તે લોકાપર્ણ કરવામાં આવ્યું હતું જે પ્રસંગે સાંસદ વિનોદભાઈ ચાવડા, સાંસદ મોહનભાઈ કુંડારિયા, પાલિકા પ્રમુખ કુસુમબેન પરમાર, ઉપપ્રમુખ જયરાજસિંહ જાડેજા, મહંત ભાવેશ્વરીબેન સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા ઉમિયા સર્કલ ખાતે ૧૦૮ ફૂટ ઉંચો રાષ્ટ્રધ્વજ લહેરાતો રહેશે જેથી લોકો પ્રતિદિન અહીંથી પસાર થતી વેળાએ રાષ્ટ્રધ્વજને નિહાળી સકે અને લોકોમાં રાષ્ટ્રપ્રેમની ભાવના જાગૃત થાય તે માટે અનેરું આયોજન કરાયું હોવાનું મંત્રી બ્રિજેશ મેરજાએ જણાવ્યું છે

(2:39 pm IST)