Gujarati News

Gujarati News

News of Saturday, 14th August 2021

ધોરાજી પંથકમાં વરસાદ ખેંચાતા ખેડૂતો ચિંતામાં : ડુંગળીના પાકમાં રોગ લાગુ પડ્યો

ખેડૂતો માટે પાકને બચાવવા માટે કેનાલના પાણી છેલ્લી આશા

રાજકોટ જિલ્લાના ધોરાજી પંથકમાં વરસાદ ખેંચાતા ખેડૂતો ચિંતીત બન્યા છે. બીજી તરફ આ વિસ્તારમાં ડૂંગળીનું વાવેતર કરનારા ખેડૂતો પાયમાલ થવાની સ્થિતિએ પહોંચી ગયા છે . તેમજ વરસાદ ન વરસતા ડૂંગળીના પાકને રોગ લાગું પડી ગયો છે. જેના કારણે ડૂંગળીના પાકનો વિકાસ નથી થઈ રહ્યો. તેમજ જંતુનાશક દવાઓ છાંટવાથી પણ આ રોગ જતો નથી. છેલ્લા 25 દિવસથી વરસાદ ન વરસતા ખેડૂતો ચિંતામાં છે. ખેડૂતોને આશા છે કે સરકાર કેનાલમાં પાણી છોડશે. જ્યારે ખેડૂતો માટે પાકને બચાવવા માટે કેનાલના પાણી છેલ્લી આશા છે.

(7:20 pm IST)