Gujarati News

Gujarati News

News of Saturday, 14th August 2021

આજે સાંજે શ્રી સોમનાથ મહાદેવને સૂર્યદર્શન શ્રૃંગાર

કાલે સ્વાતંત્ર્ય દિન નિમિતે ત્રિરંગા શ્રૃંગારઃ પ્રભાસપાટણ-વેરાવળઃ શ્રી સોમનાથ મહાદેવને શ્રાવણ મહિનામાં દરરોજ વિવિધ શ્રૃંગાર કરવામાં આવે છે જે અંતર્ગત આજે સાંજે સૂર્યદર્શન શ્રૃંગાર તથા કાલે સ્વાતંત્ર્ય દિન નિમિત્તે ત્રિરંગા શ્રૃંગારનું આયોજન કરાયુ છે. ગઇકાલે ઋષિદર્શન શ્રૃંગાર કરાયા હતા તે પ્રથમ તસ્વીરમાં અને બીજી તસ્વીરમાં આજે સવારના શ્રૃંગાર નજરે પડે છે.(તસ્વીર-અહેવાલઃ દિપક કક્કડ : વેરાવળ, દેવાભાઇ રાઠોડ (પ્રભાસપાટણ)

(12:47 pm IST)