Gujarati News

Gujarati News

News of Saturday, 14th August 2021

તુલસીશ્યામ મંદિરે દર્શન કરતા રાજ શેખાવતજી

ઉના : કરણીસેનાના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ અને ગુજરાત પ્રદેશ અધ્યક્ષ શ્રીમાન રાજ શેખાવતજી ગીરસોમનાથની સામાજિક સંગઠનાત્મક યાત્રા કાર્યક્રમ અંતર્ગત મુલાકાતે આવ્યા હતા.જેમાં તેઓની અલગ અલગ જગ્યાની મુલાકાતોમાં ઉના તથા ગીરગઢડા તાલુકામાં ૧૨ ગામમાં વસતા શ્રીમારૃં રાજપૂત સમાજની સાથે પણ લાંબી મુલાકાત થઈ હતી. તેઓ પ્રથમ તુલસીશ્યામ ના મંદિરે દર્શન કરીને ત્યાંથી શ્રી મારૂ રાજપૂત સમાજના વડીલો અને યુવાનો સાથે ગામ અંબાડા મુકામે લિમિટેડ સંખ્યામાં મળ્યા હતા.જેમાં શ્રી મારૂ રાજપૂત સમાજના પ્રમુખ શ્રીમાન કાલિદાસભાઈ ડાંગોદરા,દિવ સ્ટેટના રાજવી પરિવારના વિજયબાપુ અને શ્રી મારૃં રાજપૂત સમાજના વડીલો તથા યુવાન હાજર હતા.(તસ્વીર : નિરવ ગઢીયા, ઉના)

(11:44 am IST)