Gujarati News

Gujarati News

News of Saturday, 14th August 2021

મેઘરાજા રીસાતા સૌરાષ્ટ્રમાં કપાસ, મગફળી , મગ, અડદ સહિતના પાકો પર તોળાતું સંકટ

વરસાદની અછત હોવાથી જમીનમાં પાણીના સ્તર પણ ઉંચા આવ્યા નથી

રાજકોટ :  મેઘરાજા રિસાય જતા રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં કપાસ, મગફળી, મગ, અડદ સહિતના પાકો પર સંકટ તોળાય રહ્યું છે. વિવિધ પાકો સૂકાવા કગાર પર છે. તેમજ વરસાદની અછત હોવાથી જમીનમાં પાણીના સ્તર પણ ઉંચા આવ્યા નથી. આથી બોર કે કૂવામાં પાણી ચડ્યા ન હોવાથી ખેડૂતો પાકને બચાવવા પણ લાચાર બન્યા છે. ધોધમાર વરસાદ વરસે તેવી ખેડૂતો ભગવાન પાસે પ્રાર્થના કરી રહ્યાં છે.

(10:57 am IST)