Gujarati News

Gujarati News

News of Wednesday, 14th July 2021

શેરનાથબાપુના આશ્રમે સંતવાણીની મોજ માણતા પુ.ભાઇશ્રી તથા સંતો

 જુનાગઢઃ ગુરૂગોરક્ષનાથ આશ્રમે પુ.શેરનાથબાપુના સાનિધ્યમાં પુ.ભાઇશ્રી રમેશભાઇ ઓઝાના વ્યાસાસને ઓનલાઇન શ્રીમદ્દ ભાગવત કથા જ્ઞાનયજ્ઞ ચાલી રહ્યો છે જેમાં દરરોજ રાત્રે સરકારશ્રીની ગાઇડ લાઇનનું ચુસ્તપણે પાલન કરી મર્યાદીત સંખ્યામાં સંતવાણીનો કાર્યક્રમ યોજાય છે. ગઇકાલે રાત્રે પુ.બાપુના આશ્રમ ખાતે લોકગાયક મયુરદવે સહીતના કલાકારોએ સંતવાણીના સુર રેલાવ્યા હતા ઉપરોકત તસ્વીરમાં સંતવાણીનો કાર્યક્રમ રજુઆત મયુર દવે અને તેનો આનંદ માણતા પુ.ભાઇશ્રી રમેશભાઇ ઓઝા, પુ. શેરનાથબાપુ, પુ.ઇન્દ્રભારતીબાપુ તેમજ પુ.ભાઇશ્રીના સેવક ભાઇશંકરભાઇ જોષી, હાર્દિકભાઇ જોષી, પ્રવિણભાઇ દવે તેમજ લખનભાઇ ઓડેદરા સહિતના નજરે પડે છે. (અહેવાલઃ વિનુ જોષી-તસ્વીર, મુકેશ વાઘેલા)

(12:51 pm IST)