Gujarati News

Gujarati News

News of Wednesday, 14th July 2021

પોરબંદરમાં વરસાદના ભરાતા પાણી પ્રશ્ન સામે કોંગ્રેસ દ્વારા અનોખો વિરોધઃ ગંદા પાણીમાં ધુબાકા માર્યા

(સ્મીત પારેખ દ્વારા) પોરબંદર, તા., ૧૪: વરસાદના પાણી નિકાલનો પ્રશ્ન વર્ષોથી છે. ગઇકાલે વરસાદ બાદ રાણીબાગ સુદામા ચોક સામાકોઠા વિસ્તારમાં વરસાદના પાણી ભરાતા તથા ભુગર્ભ ગટરના પાણી ઉભરાતા આ અંગે તંત્રને જાગૃત કરવા કોંગ્રેસના આગેવાનો નાથાભાઇ ઓડેદરા રામદેવભાઇ મોઢવાડીયા વગેરેએ ગંદા પાણીમાં ધુબાકા માર્યા હતા.

શહેરમાં વરસાદના પાણી નિકાલના રસ્તામાં ખીજડી પ્લોટ, સાંઢીયા ગટરમાં બુરાણ  વધ્યુ છે. ઝવેરી બજારમાં નવા બેસાડેલા બ્લોકના લેવલ બરોબર ન હોય પાણી ભરાય છે.

(12:49 pm IST)