Gujarati News

Gujarati News

News of Wednesday, 14th July 2021

મોરબી : બંધ નાલાના રસ્‍તા ખુલ્લા મુકવા માંગણી

 મોરબી : નગરપાલિકાના વોર્ડ ૦૪ ના કાઉન્‍સીલર જશવંતીબેન શીરોહિયા અને પૂર્વ કાઉન્‍સીલર સુરેશભાઈ શીરોહિયા તેમજ મનસુખભાઈ બરાસરા, ગીરીરાજસિંહ ઝાલા દ્વારા કલેકટરને રજૂઆત કરી જણાવ્‍યું છે કે નેશનલ હાઈવે પર લાલપર, રફાળેશ્વર, મકનસર ગામ પાસે બનાવવામાં આવેલ નાળાઓ એકાદ વર્ષથી કમ્‍પલીટ થઇ ગયા છે છતાં નાલા પર રાહદારીઓ અને વાહનોને ચાલવા દેવામાં આવતા નથી જેના કારણે હાઈવે પર વારંવાર ટ્રાફિક સમસ્‍યા સર્જાતી હોય છે ડાયવર્ઝન પણ બરાબર ના હોવાના કારણે અકસ્‍માતનો સતત ભય રહે છે હાઈવે પર જે વધારાનો ટ્રાફિક થાય છે તેનું મૂળ કારણ બંધ પડેલ નાલાઓ છે જેથી નાલાઓ વહેલી તકે રાહદારીઓ અને વાહનો માટે ખુલ્લા મુકવા યોગ્‍ય કાર્યવાહી કરવા માંગ કરી છે. રજુઆત કરવામાં આવી તે તસ્‍વીર.

(10:11 am IST)