Gujarati News

Gujarati News

News of Tuesday, 13th February 2018

જૂનાગઢમાં મહાશિવરાત્રીના મેળામાં લાખો ભાવિકો ઉમટયા :રાત્રે નાગાબાવાની નીકળી રવાડી :લાકડી અને તલવારના અદભુત કરતબો

જૂનાગઢ :મહા શિવરાત્રીના તહેવારને લઇને જૂનાગઢમાં પાંચ દિવસીય ભવનાથ મેળાનું આયોજન કરાયું હતું મેળામાં લાખો ભાવિકો ઉમટી પડયા હતા આજે અંતિમ દિવસે માનવ મહેરામણથી જૂનાગઢ ઉભરાયું છે નાગાબાવાની રવાડીના દર્શન કરવા લોકો ખાસ આવતા હોય છે.આજે  રાત્રે 9 વાગે વિધિવત નાગાબાવાની રવાડી નીકળી હતી રવાડીમાં નાગાબાવાઓ દ્વારા લાકડી અને તલવારથી કરતબો કરવામાં આવતા હતા તલવાર સાથેના કરતબોએ આકર્ષણ જમાવ્યું છે. ભાવિકો રવાડીના દર્શન કરવા પડાપડી કરી રહ્યા હતા.

 

(12:53 am IST)