Gujarati News

Gujarati News

News of Sunday, 14th January 2018

ધ્રોળના જાયવા ગામે રસ્તા, પાણી અને ગટરના પ્રશ્ર્ને મામલતદારને આવેદનપત્ર અપાયુ

રાજકોટ: જામનગરના ધ્રોળ તાલુકાના જાયવા ગામમાં રોડ-રસ્તા, પાણી અને ગટરના પ્રશ્ર્ને મામલતદારને આવેદનપત્ર આપીને ગ્રામજનોએ આક્રોશ વ્યક્ત કર્યો હતો. ધ્રોલ તાલુકાના જાયવા ગામમાં રસ્તાઓ, પાણી અને ગટરોની સમસ્યા અંત્યંત વિકટ બની છે અને ગામજનો પોતાની સમસ્યાનો અંત આવે તેવી માંગ સરકાર પાસે કરી રહ્યા છે જામનગર-રાજકોટ ધોરીમાર્ગ રોડથી જાયવા ગામ તરફ જતો સિંગલ પટ્ટી માર્ગ જયાંથી લૈયારા સહિતના ગામના લોકો પસાર થાય છે જે છેલ્લા પાંચ વર્ષથી એટલો બદ્દતર હાલતમાં છે કે બીમાર વ્યકિત વધુ મુસીબતમાં મુકાય જાય તેવા સંજોગોમાં પણ ત્યાંથી પસાર થવું પડે છે. ગામમાં ભૂગર્ભ ગટરો હોવાથી ગંદા પાણીનો ફેલાવો થઈ રહ્યો છે જેના કારણે ગામમાં ડેન્ગ્યુ, ચિકનગુનિયા, તાવ, મેલેરિયા જેવી અનેક બીમારીના સામેં આવી રહ્યા છે અને હજુ પણ ઘણા ગામના લોકો ચિકનગુનિયાથી પીડિત છે સિવાયની સમસ્યાની વાત કરીએ તો સૌથી મોટી પાણીની સમસ્યા છે ઉનાળા જેવી સિઝનમાં ખેતરોમાં પણ પાણી ખૂટી જતા હોય છે ત્યારે જાયવા ગામની મહિલાને દૂર સુધી પીવાના પાણી માટે ફાંફાં મારવા પડે છે અને રોજિંદા જીવન ઉપયોગ પાણી માટે પાધરમાં આવેલ કૂવામાંથી સિંચીને ભરવું પડે છે, પરંતુ સવાલ પણ ઊભો થાય છે કે પાણી સિંચતી વખતે મોટી ઘટના પણ બની સકે તેવી પરિસ્થિતિ જોવા મળે છે પાણી પ્રશ્ર્ને અગાવ પણ ગામની મહિલાઓ દ્વારા મામલતદાર કચેરી અને ધ્રોલ નગરપાલિકામાં હંગામો મચાવ્યો હતો, પરંતુ સમસ્યાનો હજુ ઉકેલ આવતા છેવટે એક વર્ષ બાદ ફરીથી ગામજનો દ્વારા રસ્તાઓ,પાણી અને ગટરોની સમસ્યા ઉકેલવા મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું હતું. મામલતદાર કચેરી ધ્રોલ ખાતે આવેદનપત્ર આપી ગામજનોએ રોષ ઠાલવ્યો હતો અને પોતાની ખાનગી સમસ્યાની તાત્કાલિક ધોરણે નિરાકરણ કરવામાં આવે આવેદનપત્રમાં ગામજનોને જણાવ્યું હતું કે છેલ્લા પાંચ સાત વર્ષની રસ્તાઓ, પાણી અને ગટરોની સમસ્યા ખૂબજ બિસ્માર બની છે જેના કારણે ગામના લોકોને ખૂબજ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

(10:16 pm IST)