Gujarati News

Gujarati News

News of Wednesday, 13th December 2017

મોરબીમાં અપહરકારોને પકડીને માસુમ દેવને મુકત કરાવનારા મુકેશ હડીયલનું સન્માન

મોરબી તા.૧૩ : મોરબીમાં થયેલા બાળકના અપહરણ સમયે જાગૃતતા બતાવી મોરબીના જી.આર.ડી.ના જવાન મુકેશભાઈ હડીયલએ અપહરણકારો પકડીને માસુમ દેવને મુકત કરાવ્યો હતો. મુકેશભાઈ રફાળેશ્વર પાસે હતા માત્ર ફોન દ્વારા સમગ્ર બનાવની જાણ તથા સમયસુચકતા પારખીને અપહરણકારોને પકડી પ્રસંસનીય કામગીરી કરી હતી.

તેથી મેરા ન્યુઝ વ્હોટસપ, યંગ ઇન્ડિયા ગ્રુપ, પી.જી પટેલ કોલેજ અને સાહિત્ય સ્પંદન દ્વારા મુકેશભાઈ હડીયલનો સન્માન સમારોહ પી.જી.પટેલ ખાતે યોજાયો હતો. જેમાં સિરામિક એસો. પ્રમુખ નિલેષ જેતપરિયા, સામાજિક અગ્રણી અરવિંદ બારૈયા, પત્રકાર રોહન રાંકજા, પી.જી. પટેલ કોલેજના ટ્રસ્ટી દેવકરણભાઈ આદ્રોજા, આચાર્ય ડો.રવિન્દ્ર ભટ્ટ, ઉદ્યોગપતિ જતીનભાઈ પટેલ તેમજ બાળક દેવનો પરિવારની ઉપસ્થિતમાં મુકેશભાઈ હડીયલ અને હિતેશભાઈ ચડાસણીયાની ઉતમ માનવ ધર્મ અને ફરજનિષ્ઠા બદલ અભિવાદન કરવામાં આવ્યું હતું. તેમજ દેવના પરિવાર દ્વારા રોકડ રકમ આપી સન્માન કરવામાં આવ્યું હતું.

(11:47 am IST)