Gujarati News

Gujarati News

News of Wednesday, 13th December 2017

ઉનાના બંધારડા અને ગાંગડા બુથ ઉપર મતદાન રદઃ આવતીકાલે ફેર મતદાન

કર્મચારીની ભૂલને કારણે ચૂંટણી અધિકારી દ્વારા ફેર મતદાનનો નિર્ણય

ઉના તા.૧૩: વિધાનસભા સામાન્ય ચૂંટણી - ર૦૧૭ અન્વયે ૯૩-ઉના વિધાનસભા મતદાર વિભાગ વિસ્તાર માટે ગત તા.૯ને શનિવારના રોજ મતદાન યોજવામાં આવેલ જે પૈકી ૧૬૩-બંધારડા અને રર૪-ગાંગડા-૩ મતદાન બુથ ઉપર થયેલ ક્ષતિના કારણે ભારતના ચૂંટણી પંચ તરફથી ઉપરોકત બે બુથ પર થયેલ મતદાન રદ કરવા અને ફેરમતદાન યોજવા નિર્ણય કરવામાં આવેલ છે.

૯૩-ઉના વિધાનસભા મતદાર વિભાગ વિસ્તારના ૧૬૩-બંધારડા તથા રર૪-ગાંગડા-૩ના મતદાન મથક પર ફેરમતદાન કાલે તા.૧૪ના રોજ સવારના ૮-૦૦ કલાકથી સાંજના પ-૦૦ કલાક દરમ્યાન યોજવામાં આવશે તેમ ચૂંટણી અધિકારી ૯૩-ઉના વિધાનસભા મતદાર વિભાગ અને પ્રાંત અધિકારી, ઉનાની યાદીમાં જણાવાયું છે.

(11:46 am IST)