Gujarati News

Gujarati News

News of Sunday, 13th September 2020

ભાવનગરમાં કોરોનાએ બે લોકોના ભોગ લીધા : નવા 41 પોઝિટિવ કેસ નોંધાયા : કુલ કેસની સંખ્યા 3420 થઇ : મૃત્યુઆંક 52 થયો

ભાવનગર : ભાવનગરમાં કોરોનાનો કહેર યથાવત છે ભાવનગરમાં કોરોનાએ આજે વધુ બે લોકોના ભોગ લીધા છે , આજે નવા 41 પોઝિટિવ કેસ નોંધાયા છે આ સાથે કુલ કેસની સંખ્યા 3420 થઇ છે જયારે આજે વધુ બે લોકોના મોત થતા  મૃત્યુઆંક 52 થયો છે

ભાવનગર જિલ્લામાં આજે નોંધાયેલ 41 પોઝિટિવ કેસમાં ભાવનગર શહેરમાં 24 કેસ અને ગ્રામ્યમાં 17 પોઝિટિવ કેસ નોંધાયા છે જયારે આજે ભાવનગરમાં એક અને ગ્રામ્યમાં એક વ્યક્તિનું મોત નીપજ્યું છે 

(7:36 pm IST)