Gujarati News

Gujarati News

News of Saturday, 13th August 2022

મંગળવારે મેંદરડામાં દલિત મહાસંમેલન જીજ્ઞેશ મેવાણી અને નૌશાદ સોલંકી ઉપસ્‍થિત રહેશે

(વિનુજોષી દ્વારા) જુનાગઢ, તા.૧૩: જુનાગઢ જીલ્લા અનુસુચિત જાતિ સમાજના પ્રમુખ રાજુભાઇ સોલંકી અને ઉપપ્રમુખ રાવણ પરમારએ જણાવ્‍યુ હતું કે આગામી તા.૧૬ મંગળવારના રોજ સવારે ૧૦ કલાકે આંબેડકર ચોક મેંદરડા ખાતે દલિત સમાજનું મહાસંમેલન યોજાનાર છે. આ સમેલનમાં જીજ્ઞેશભાઇ મેવાણી અને ર્નોશાદભાઇ  સોલંકી ઉપસ્‍થિત રહેશે. તેમજ  મેંદરડા તાલુકાના ખીજડીયા ગામે દલિત યુવાન જયસુખભાઇ મુછડીયાની હત્‍યાના  આરોપીઓને  તાત્‍કાલીક ધરપકડ કરવા અને મૃતકના પરિવારને ન્‍યાય આપવાની માંગ સાથે દલિત સમાજના ભાઇઓ બહેનોને આ  મહા સંમેલનમાં ઉમટી પડવા રાજુભાઇ સોલંકી અને રાવણભાઇ પરમારએ આહવાન કર્યુ છે.

(11:52 am IST)