Gujarati News

Gujarati News

News of Saturday, 13th August 2022

વાંકાનેરના રામધામ-જાલીડામાં રઘુવંશી પરિવારોની ઉપસ્‍થિતીમાં તિરંગો લહેરાશે

સોમવારે આનંદનો ગરબો, રૂદ્રાભિષેક , નવગ્રહ અભિષેક સહિત અનેકવિધ કાર્યક્રમ યોજાશે

(લિતેશ ચંદારણા દ્વારા) વાંકાનેર,તા. ૧૩ : વાંકાનેર તાલુકાના જાલીડા ગામની સીમમાં પરમ પૂજ્‍ય -૧૦૦૮ સદગુરૂદેવ શ્રી હરિચરણદાસજી મહારાજની અસિમકૃપા અને આશિર્વાદથી નિર્માળ થવા જઇ રહેલું ‘શ્રીરામધામ' જેમાં કણ-કણમાં ભગવાન શિવનો વાસ છે. જ્‍યાં અખીલ બ્રહ્માંડના અયોધ્‍યાપતિ શ્રી રામચંદ્રજી તથા પૂજ્‍ય વિશ્વ વંદનીય શ્રી જલારામબાપા તથા વિરદાદા-જશરાજનું ધામ બનવા જઇ રહ્યુ છે જે રઘુવંશી સમાજનું શ્રધ્‍ધા, સેવા, સંગઠનનું કેન્‍દ્ર બની રહ્યુ છે.

ત્‍યાં દેવોના દેવ મહાદેવ પણ આ તપોભૂમી ઉપર બીરાજમાન છે આપણું આ નિર્માળધીન રામધામ નિર્વિધ્‍ને અને વહેલી તકે પૂર્ણ થાય તેમજ રઘુવંશી સમાજ તેમજ અન્‍ય સમાજ ઉપર મહાદેવજીની કૃપા દ્રષ્‍ટી રહે ઉપરાંત મા ભારતીનું આઝાદી કા અમૃત મહોત્‍સવની ઉજવણી થઇ રહી છે ત્‍યારે શ્રી રામધામ દ્રષ્‍ટ પણ સહભાગી થવા જઇ રહ્યુ છે.

જેમાં માં ભારતી પણ અખંડીત રહે તેવા હેતુથી શ્રી રામધામની પવિત્રભૂમિ પર મહાદેવને પ્રિય એવા ‘રૂદ્ર અભિષેક' તથા નવગ્રહ અભિષેક તેમજ બહેનો માટે ‘આનંદનો ગરબો' તથા માં ભારતીના રાષ્‍ટ્રગીતોનું સુંદર આયોજન કરવામાં આવેલુ છે.

જેમાં આનંદનો ગરબો તથા રાષ્‍ટ્રગીત સાંજે ૪ થી ૬ કલાકે ત્‍યારબાદ સાંજે ૬ થી ૮ રૂદ્ર અભિષેક તથા નવગ્રહ અભિષેક યોજાશે. તો દરેક રઘુવંશી પરિવારો સમયસર હાજરી આપે અને શ્રાવણ માસનો સોમવાર હોવાથી દરેક રઘુવંશી પરિવાર માટે ફરાળની વ્‍યવસ્‍થા પણ રાખવામાં આવેલ છે. તેમ રામધામના દ્રષ્‍ટીઓએ જણાવેલ છે. (રૂદ્રઅભિષેક તથા નવગ્રહ અભિષેકની શાષાોકત વિધિ રઘુવંશી સમાજના સાક્ષાત ભુદેવ મેહુલભાઇ પાંધી કરાવશે.)

જે જે લોકો ઉપરોકત કાર્યક્રમમાં હાજરી આપવા આવનાર છે. તે લોકોમાં નિચે આપેલા મોબાઇલ નંબર ઉપર સંખ્‍યા જણાવી જેથી વ્‍યવસ્‍થા કરવામાં સરળતા રહે જેમાં રાજકોટથી પધારતા પરિવારો (૧) મેહુલભાઇ નથવાણી ૯૮૨૫૦ ૭૨૦૭૯ (૨) અશોકભાઇ મીરાણી મો. ૭૨૦૩૦ ૧૪૬૨૩ (મોરબી)ના પરેશભાઇ કાનાબાર ૯૮૭૯૫ ૯૨૮૦૦ અને આનંદભાઇ સેતા ૯૧૩૭૬ ૭૭૭૭૧ (ટંકારા)ના રીશતભાઇ કક્કડ મો. ૯૧૦૬૯ ૧૮૩૭૬ તથા ભાવિનભાઇ સેજપાલ મો. ૮૫૧૧૧ ૧૧૪૪૪ (ચોટીલા)ના મુકેશભાઇ ખખ્‍ખર મો. ૯૪૨૫૪ ૧૬૨૦૪ (કુવાડવા)ના ભીખાભાઇ પાઉં મો. ૯૧૨૫૫ ૦૬૨૫૧ (વાંકાનેર)ના સુનિલભાઇ ખખ્‍ખર મો. ૯૮૯૮૨ ૪૩૯૪૧ તથા ધર્મેશભાઇ ભીંડોરા મો. ૯૮૨૫૨ ૧૬૨૩૭ ઉપર સંખ્‍યા નોંધાવી દેવા જણાવ્‍યું છે.

(11:08 am IST)