Gujarati News

Gujarati News

News of Saturday, 13th August 2022

ગોંડલ સુખનાથ ચોકમાં ફૂટપાથ ઉપર પાંચ માસનું મૃત માનવ ભ્રુણ મળી આવ્‍યું

ગોંડલ,તા.૧૩: હાદસો કા શહેર મનાતા ગોંડલમાં છાસવારે કોઈકને કોઈક ઘટના બનતી જ હોય છે અત્રેના સુખનાથ ચોકમાં ફૂટપાથ ઉપર આશરે પાંચ માસનું માનવ મળત ભ્રૂણ મળી આવતા સેવાકીય સંસ્‍થાના પ્રમુખ અને પોલીસે દોડી જઇ તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા.

સુખનાથ ચોકની ફૂટપાથ પર આશરે પાંચ માસનું માનવ નું મળત ભ્રૂણ પડ્‍યું હોવાની જાણ માનવસેવા ટ્રસ્‍ટના પ્રમુખ પ્રફુલભાઈ રાજ્‍યગુરૂને થતા તેઓ સ્‍થળ પર દોડી ગયા હતા અને ભૃણને સરકારી દવાખાને લાવી તબીબી પરીક્ષણ કરાવતા ભ્રુણ પાંચ મહિનાના બાળકનું હોવાનું ફલિત થયું હતું. પરંતુ આ ભ્રુણ ફૂટપાથ પર કોણ છોડીને ચાલ્‍યું ગયું તે અંગે પોલીસને જાણ કરાતા તપાસના સરકારી દવાખાનાની સામે મફતિયા પરામાં રહેતા માયાબેન કિશનભાઇ રાઠોડ ઉંમર વર્ષ ૩૦નું હોવાનું બહાર આવતા માયાબેનને સમજાવી તેઓને દવાખાને લાવવામાં આવ્‍યા હતા અને જ્‍યાં માયાબેને પણ સ્‍વીકાર્યું હતું કે તેઓ સાત સંતાનના માતા છે અને સુખનાથ ચોકની ફૂટપાથ પરથી પસાર થઈ રહ્યા હતા ત્‍યારે તેઓને કસુવાવડ થઈ જવા પામી હતી બાદમાં તેઓ અર્ધ બેભાન જેવી હાલતમાં પોતાના ઝુપડપટ્ટી એ પહોંચ્‍યા હતા.

આ બનાવની કરૂણતા  એ છે કે માયાબેન ના પતિનું ત્રણ માસ પહેલા જ નિધન થયું છે અને તેઓ સાત સંતાનોના માતા છે અને આઠમું સંતાન તેમના પેટમાં હતું ત્‍યારે જ તેમના પતિનું નિધન થઈ જતા પરિવારની હાલત કફોડી થઈ જવા પામી હતી.

(10:47 am IST)