Gujarati News

Gujarati News

News of Saturday, 13th August 2022

જૂનાગઢ રેન્જ ડીઆઇજીનો ચાર્જ કોસ્ટલ યુનિટના નિલેશ ઝાઝડિયાને સુપરત

જૂનાગઢ રેંજ વડા મનિન્દર પ્રતાપસિંહ પવારની બીએસએફમાં પસંદગી થતા ખાલી પડેલ સ્થાન ભરવા ગૃહ ખાતા દ્વારા તાકીદે કાર્યવાહી

રાજકોટ : જૂનાગઢ રેન્જ  ડીઆઈજી મનિન્દર પ્રતાપસિંહ પવાર ને કેન્દ્ર સરકાર દ્વારા બીએસએફમાં પસંદગી કરવામાં આવતા જૂનાગઢ રેન્જ ડીઆઇજીની જગ્યા ખાલી પડી હતી,

  જૂનાગઢ રેન્જ જેવી મહત્વની રેન્જ હેઠળની જગ્યા ખાલી ન રહે તે માટે ગૃહ વિભાગ દ્વારા જૂનાગઢ રેન્જ ડીઆજીનો ચાર્જ કોસ્ટલ સિક્યોરિટી ગાંધીનગર ખાતે ફરજ બજાવતા નિલેશ ઝાઝડિયા જેવા અનુભવી અધિકારીને તાકીદની અસરથી સુપરત કરતો હુકમ કરવામાં આવ્યો છે,

જાણકારોના મત મુજબ આનો બીજો અર્થ એવો થાય કે આઇપીએસ કક્ષાએ ડીઆઈજી આઇજીની બદલીઓમાં થોડો વિલંબ સર્જાઈ તેવી શકયતા નકારી શકાય નહીં

(11:26 pm IST)