Gujarati News

Gujarati News

News of Tuesday, 13th July 2021

મૈત્રીકરાર કરી ભાગ્યા પછી પરિણીત પ્રેમિકા પરત જતી રહેતાં જીજ્ઞેશે ઝેર પી જીવ દીધો

સુરેન્દ્રનગરના ૨૫ વર્ષના યુવાનને પરિણીતા સાથે પ્રેમ હતોઃ બંને ભાગી ગયાના બીજા દિવસે પરિણીતા પરત પતિ પાસે જતી રહેતાં માઠુ લાગ્યું

રાજકોટ તા. ૧૩: સુરેન્દ્રનગરમાં ધોળીધજા ડેમ પાસે રહેતાં જીજ્ઞેશ ઉર્ફ દશરથ પાંચાભાઇ રોજાસરા (ઉ.વ.૨૫) નામના યુવાને ગઇકાલે બપોરે એકાદ વાગ્યે સુરેન્દ્રનગર રેલ્વે સ્ટેશન પાછળ સી. યુ. શાહ સોસાયટીમાં ઝેરી દવા પી લેતાં સુરેન્દ્રનગર સારવાર અપાવી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. પરંતુ અહિ તેણે દમ તોડી દીધો હતો.

જીજ્ઞેશ ઉર્ફ દશરથે ઝેર પીલેતાં રાજકોટ ખસેડવામાં આવેલ. પરંતુ  સારવાર કારગત નિવડી નહોતી. મૃત્યુ અંગે હોસ્પિટલ ચોકીના સ્ટાફે સુરેન્દ્રનગર એ-ડિવીઝન પોલીસને જાણ કરી હતી. જીજ્ઞેશ ઉર્ફ દશરથ ત્રણ ભાઇમાં નાનો અને કુંવારો હતો. તે ચશ્માની દૂકાનમાં કામ કરતો હતો.

તેના પરિવારજનોના કહેવા મુજબ જીજ્ઞેશને એક પરિણિત મહિલા સાથે પ્રેમ થઇ ગયો હતો. બંનેએ મૈત્રીકરાર કરી લીધા હતાં અને થોડા દિવસ પહેલા બંને ભાગી ગયા હતાં. પરંતુ બીજા જ દિવસે પરિણિતા પોતાના પરિવાર પાસે પરત જતી રહી હતી. આ કારણે માઠુ લાગતાં તેણે આ પગલુ ભર્યાની શકયતા છે. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. (૧૪.૫)

(11:26 am IST)