Gujarati News

Gujarati News

News of Monday, 13th June 2022

રામધન આશ્રમ ખાતે રામબાઈમાની જગ્‍યાના મહંતને શ્રદ્ધાંજલિ

મોરબી : વવાણીયા રામબાઈમાં જગ્‍યાના મહંતનું અવસાન થતા રામધન આશ્રમ ખાતે સેવાકાર્યો થકી શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. વવાણીયા રામબાઈમાં જગ્‍યાના મહંત અને મહંત ભાવેશ્વરીમાંના કાકા ગુરુ મહંત જગનદાસજી મહારાજ બ્રહ્મલીન થતા રામધન આશ્રમ ખાતે રામધુન અને સંતવાણી કાર્યક્રમ યોજાયો હતો તેમજ ગાયોને ઘાસચારો આપી, બે મિનીટ મૌન પાળીને આશ્રમના ભક્‍તો પૂજ્‍ય બાપુને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી.

 

(2:31 pm IST)