Gujarati News

Gujarati News

News of Monday, 13th June 2022

ભગવદ્ ગુણોના વીરલ ધારક પૂ.પ્રભુદાદાનો ૮૩મા વર્ષમાં પ્રવેશ

ભાવનગર,તા. ૧૩: સમગ્ર વિશ્વમાં ભારતીય સંસ્કૃતિની ગંગાને પ્રવાહિત કરનારા આછવણી (નવસારી)ના સ્વયંભુ પ્રગટેશ્વર મહાદેવ મંદિરના અભિનવ ભગીરથ પૂ.પ્રભુદાદા આજે ૮૨ વર્ષના સંયમપર્યાંયને પૂર્ણ કરી ૮૩ માં વર્ષમાં પદાર્પણ કરી રહ્યા છે.

આ મહાપુરૂષે પરમાત્માના વચનનું તાદાત્મયએ રીતે કેળવ્યુ છે કે તેઓ ના રંગે રંગમાં શબ્દે શબ્દમાં આશાના જ રણકાર ગુંજે છે. લોકોને સમજાવવા પહેલા તેઓએ આજ્ઞાને જીવનમાં જીવવાનો પ્રયત્ન કર્યો છે. કોઇ પણ જાતના ભેદભાવ વગર દરેક પ્રત્યે નિરપેક્ષ પણે કૃપા વરસાવનારા સત્યનું સમર્થન કરતા આવ્યા છે. (મો. ૭૫૭૫૦ ૩૦૬૧૩)

(11:20 am IST)