Gujarati News

Gujarati News

News of Monday, 13th June 2022

શ્રી અંધ સાર્વોદય મંડળ રાજકોટ સંચાલન

અંધ અપંગ કલ્‍યાણ કેન્‍દ્રનો વેરાવળમાં પ્રારંભ

દિવ્‍યાંગ, વૃદ્ધ, અંધલોકો માટે રહેવા-જમવાની નિઃશુલ્‍ક સુવિધા

રાજકોટઃ શ્રી અંધ સર્વાઘ્‍ય મંડળ રાજકોટ સંચાલીત અંધ અપંગ કલ્‍યાણ કેન્‍દ્રનો સોમનાથ જીલ્લાના વેરાવળ મુકામે દિવ્‍યાંગ વૃદ્ધો ઉચ્‍ચ અભ્‍યાસ કરતા કે નાના કોઇ ધંધા સાથે જોડાયેલા અંધ વ્‍યકિતઓ માટે રહેવા, જમવાની નિઃશુલ્‍ક સુવિધા આપવામાં આવશે. પ્રવેશ માંગતા ઇચ્‍છીત વ્‍યકિઓએ મો. ૯૯૨૫૩ ૫૦૫૫૧ ઉપર ભિખુભાઇ સિસોદિયાનો (મંત્રી શ્રી અંધ સર્વોદય મંડળ રાજકોટ) નો સંપર્ક કરવો. સ્‍થળઃ અંધ સર્વોદય મંડળ, વેરાવળ બસ સ્‍ટેશન, સામે ડો. પ્રસનાણીની હોસ્‍પીટલ શેરી, અંધ અપંગ, કલ્‍યાણ કેન્‍દ્ર વેરાવળ, જી.સોમનાથ.

 

(10:18 am IST)