Gujarati News

Gujarati News

News of Monday, 13th June 2022

યાત્રાધામ વિરપુર પંથકમાં બપોર બાદ ગાજવીજ સાથે ધોધમાર વરસાદ

શહેરના રોડ રસ્તાઓ પર વરસાદી પાણી વહેતા થયા: ગરમીથી લોકોને રાહત

રાજકોટ જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ વીરપુરમાં પણ આજે સવારથી જ અસહ્ય બફારા અને ગરમી બાદ બપોરના સમયે વાતાવરણમાં અચાનક પલટો આવતા ની સાથે જ વીરપુર જલારામ ધામમાં તેમજ આસપાસના પંથકના વિસ્તારોમા ધોધમાર વરસાદ શરૂ થયો હતો.

 ભારે ગાજવીજ સાથે વરસાદ શરૂ થતાની સાથે જ વીરપુરના રોડ રસ્તાઓ પર વરસાદી પાણી વહેતા થયા હતા જેમને લઈને ગરમીથી લોકોને રાહત મેળવી હતી તો બીજી તરફ સામાન્ય રીતે જગતના તાત ખેડૂતોએ ભીમ અગિયારસ પછીના સમયે આગોતરા વાવણી આ શ્રી ગણેશ કર્યા હોય છે તેમના માટે આજે ધોધમાર વરસેલા પ્રથમ વરસાદે ખેડૂતોમાં તેમજ લોકોમાં ખુશીની લાગણીઓ પ્રસાવી દીધી હતી.

(8:25 pm IST)