Gujarati News

Gujarati News

News of Tuesday, 13th February 2018

જુનાગઢ શિવરાત્રી મેળામાં ચાઇલ્ડ હેલ્પ લાઇન ૧૦૯૮ સ્ટોલ

 જુનાગઢઃ મહીલા અને બાળ વિભાગ દ્વારા સાંપ્રત એજયુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટના સંયુકત ઉપક્રમે ભવનાથના શીવરાત્રીના મેળામાં ચાઇલ્ડ હેલ્પ લાઇન ૧૦૯૮ ના સ્ટોલનું ઉદઘાટન કરાયું છે આ ચાઇલ્ડ હેલ્પ લાઇન ૧૦૯૮ મળામાં ગુમ થયેલા બાળકો અથવા તો હેરાન થતા બાળકોને મદદરૂપ થવા માટે ૧૦૯૮ નંબર ડાયલ કરવાથી બાળકોને મદદ મળી શકે તેવા પ્રયત્નો કરાયા છે. બાળકોને લગતા કાયદા અને અધિકારોને પ્રચાર પ્રસારના હેતુથી આ સ્ટોલનું ઉદઘાટન ભારતી આશ્રમના મહંત શ્રી હરીહરાનંદબાપુ તથા રમીલાબેન કથીરીયા તથા બાળ આયોગના સભ્ય આરતીબેન જોષી તથા ત્રિમુર્તિ  હોસ્પિટલના અમૃલતભાઇ પોકીયા સાંપ્રત એજયુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ મહેન્દ્રભાઇ પરમાર દ્વારા ભારતીબાપુના આશીર્વાદ લઇ આ સ્ટોલને ખુલ્લો મુકવામાં આવેલ. આ સ્ટોલમાં ચાઇલ્ડ હેલ્પ લાઇન ૧૦૯૮ ની ટીમના તમામ સભ્યો બાળકોના હીત અને રક્ષણ માટેજહેમત ઉઠાવી રહ્યા છ.ે(અહેવાલઃ વિનુ જોષી, તસ્વીરઃ મુકેશ વાઘેલા જુનાગઢ)

(11:26 am IST)