Gujarati News

Gujarati News

News of Tuesday, 12th October 2021

અમરેલીમાં ૩૮૭૭ પડતર અરજીઓનો નિકાલ

અમરેલી :  જિલ્લા કલેકટર  ગૌરાંગ મકવાણાએ શનિવારે જાહેર રજાના દિવસે જિલ્લાની તમામ પ્રાંત અધિકારીશ્રીની કચેરીઓ અને મામલતદાર કચેરીઓ કાર્યરત રાખી પડતર અરજીઓનો નિકાલ કરવા આદેશ કર્યો હતો. જેના ભાગરૂપે જિલ્લામાં પુરવઠા શાખાની ૮૨૦ જેટલી અરજીઓ, જમીનને લગતી ૧૩૬૮ જેટલી અરજીઓ, વિધવા અને વૃદ્ધ સહાયની ૩૬૭ જેટલી અરજીઓ, જાતિ અને આવકના દાખલા માટેની ૪૧૦ જેટલી અરજીઓ તથા ૯૧૨ જેટલી અન્ય અરજીઓ અને દરખાસ્તો એમ કુલ મળી ૩૮૭૭ અરજીઓનો ઝુંબેશરૂપે નિકાલ કરવામાં આવ્યો હતો.

(1:02 pm IST)