Gujarati News

Gujarati News

News of Tuesday, 12th October 2021

ઇદે મિલાદુ ન્નબી નું ઝુલુસ કાઢવા મુખ્ય મંત્રી ને રજૂઆત

કોરોના ગાઈડ લાઇનનો ચુસ્ત અમલ સાથે

સાવરકુંડલા,તા.૧૨ : જશને ઇદે મિલાદુ ન્નબી નું ઝુલુસ કોરોના ની ગાઈડ લાઇન નું ચુસ્ત પણે પાલન સાથે ઝુલુસ કાઢવા ની મંજૂરી આપવા ગુજરાત રાજ્ય ના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ સમક્ષ રૂબરૂ અમદાવાદના ધારાસભ્ય ગ્યાસુદિનભાઈ શેખ અને ઇમરાનભાઈ ખેડાવાળાએ રૂબરૂ રજુઆત કરી હતી. 

સ્વર્ણિમ સંકુલ ગાંધીનગર મુખ્યમંત્રી  કાર્યાલય ખાતે મુલાકાત લઈ આગામી ૧૯ તારીખે ઇદે મિલાદુન્નાબી ના ઝુલુસ ની મંજૂરી કોરોના ગાઈડ લાઇન મુજબ અને ચુસ્ત પાલન અને અમલ સાથે આપવા રજુઆત કરવામાં આવી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે અમદાવાદના બને ધારાસભ્ય ગ્યાસુદિનભાઈ શેખ અને ઇમરાનભાઈ ખેડાવાલા બાર મી શરીફ શરૂ થઈ ત્યાર થી ઝુલુસ કાઢવા માટે લાગતા વળગતા તંત્રને  રજુઆત કરવા નો દોર શરૂ રાખ્યો છે એટલું જ નહીં પરંતુ મુસ્લિમ ના તહેવારો કોમી એકતા ભાઈ ચાર ની લાગણી સભર યોજાય તે માટેના  ધનિષ્ટ પ્રયાસો કરે છે

 નુરાની નગર ખાતે સાત દિવસ વાયજ

સાવરકુંડલા ખાતે બારમી શરીફ નિમિતે  નુરાની નગર ખાતે સાત દિવસ માટે વાઇજ શરીફ નો પ્રોગામ રાખવા માં આવેલ છે નુરાની નગર ખાતે મંગળવાર જમીલ સાહેબ જૂનાગઢ વાળા અને તારીખ ૧૩/૧૦/૨૧ થી ૧૮/૧૦/૨૧ સુધી  ફખરે ગુજરાત  હાફિઝ મોહમ્મદ ઈંદ્રિશખાન અશરફી બાલાસીનોર વાળા તકરીર ફરમાવશે

આ પ્રોગામને સફળ બનાવવા હાજી ગફરભાઈ જાદવ . નગર સેવક રાજેભાઈ ચૌહાણ વિગેરે જહેમત ઉઠાવી રહ્યા છે.

(12:22 pm IST)