Gujarati News

Gujarati News

News of Tuesday, 12th October 2021

સીદસર ખાતે અંજતા ગ્રુપના જયસુખભાઈ દ્વારા કાર્યકર્મ યોજાયો

મોરબી, તા.૧૧: શ્રી ઉમિયા માતાજી મંદિર 'સિદસર' ખાતે શનિવારના રોજ મોરબીના ઉદ્યોગપતિ અજંતા-ઓરેવા ગ્રુપના સુપ્રીમો 'પાટીદાર રત્ન', પાટીદાર મહાપદ્મ અને મહિલા સશકિતકરણની મીશાલ એવા જયશુખભાઈ પટેલ અને તેમના ધર્મપત્ની મૃદુલાબેન તરફથી ઉમિયા માતાજીના મંદિરમાં 'માતાજીની આરતી' તેમજ 'માતાજીની ધજાનો શુભ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.

જયશુખભાઈ પટેલ હાજર રહેલ હતા સાથે સાથે ભાલોડીયા પરિવારના જેઠાભાઈ, વસંતભાઈ, રાધવજીભાઈ, રમેશભાઈ, અંબારામભાઈ સહિત સંપૂર્ણ ભાલોડીયા પરિવારે હાજરી આપી હતી તો મિત્ર મંડળના કરસનભાઈ આદ્રોજા તથા દિનેશભાઈ મારડિયા સહિતના લોકો પરિવાર સાથે શુભ પ્રસંગમાં જોડાયા હતા. આ શુભ પ્રસંગે માતાજી મંદિરના ટ્રસ્ટીઓ જેવા કે બાબુભાઈ દ્યોડાસરા, જેરામભાઈ, જયેશભાઈ પટેલ, ચીમનભાઈ સાપરિયા જેવા ઘણા ટ્રસ્ટીગણો હાજર રહ્યા હતા.

તાજેતરમાં છેલ્લા બે વર્ષથી 'સીદસર' ખાતે માતાજીના આ પવિત્ર સંસ્થાનમાં ૧૫ થી ૨૦ કરોડ જેટલો ખર્ચ કરી ને મંદિરની ભવ્યતામાં અલૌકિક વધારો કરવામાં આવ્યો છે. મંદિર પરિસરની ભવ્યતા અને શોભામાં વધારો કરવા માટે રિવરફ્રન્ટ, ગાર્ડન, શોપિંગ મોલ, પાર્કિંગ જેવા અદભુત ડેવલોપમેન્ટ ના કાર્યો કરવામાં આવેલ છે અને જગ જનની મા ઉમિયા માતાજીની શોભામાં અભિવૃદ્ઘિ કરેલ છે. જયશુખભાઈ પટેલ દ્વારા સમસ્ત કડવા પાટીદાર સમાજને હાર્દિક અપીલ કરવામાં આવેલ છે કે નવરાત્રિના શુભ પ્રસંગે અથવા અનુકૂળતાના સમયે 'સિદસર' ખાતે જગ જનની મા ઉમિયાના આશીર્વાદ લેવા અવશ્ય પધારે તેમ અપીલ કરેલ છે.

(12:21 pm IST)