Gujarati News

Gujarati News

News of Tuesday, 12th October 2021

ભાવનગરમાં યુવાનનો આપઘાત

પાનની દુકાન ચલાવતા યુવાને ઉઘરાણીથી કંટાળીને પગલુ ભર્યુ

 

ભાવનગર, તા.૧૨: શહેરના બોરતળાવ વિસ્તારમાં શિવનગર સોસાયટીમાં રહેતા બ્રિજેશકુમાર વસંતભાઇ નાકરાણી ઉ.વ.૨૧ નામના યુવાને તેનાં ઘરે ગળાફાંસો ખાઇ આત્મહત્યા વહોરી લીધી છે. મૃતક યુવાન બોરતળાવ વિસ્તારમાં જય અંબે પાન-મસાલાની દુકાન ચલાવે છે. મૃતક યુવાને પૈસાની ઉઘરાણીથી કંટાળી પગલુ ભર્યુ હોવાનું અને આ અંગે સુસાઇડ નોટ લખી હોવાનું ચર્ચાઇ રહ્યું છે. આ અંગે ડી.ડીવીઝન પોલીસ વધુ તપાસ ચલાવી રહી છે.

બંધ મકાનમાં ચોરી

કરચલીયાપરા કેરડાવાળી શેરીમાં રહેતા શારદાબેન પ્રવિણભાઇ મકવાણાનાં બંધ મકાનનાં તાળા તોડી તસ્કરો કબાટમાંથી રોકડ તથા સોના-ચાંદીનાં દાગીના મળી કુલ રૂા.૪૦,૨૦૦ની મતાની ચોરી કરી નાસી છુટયા હતા. અંગે સી ડીવીઝન પોલીસે ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે.

(11:10 am IST)