Gujarati News

Gujarati News

News of Saturday, 12th September 2020

ધોરાજીમાં કોરોના પોઝિટિવ ના એક જ દિવસમાં 37 કેસનો વિસ્ફોટ : કુલ કેસનો આંક 738 ઉપર પહોંચ્યો

 ધોરાજી: ધોરાજીમાં કોરોના એ કાળો કેર સર્જ્યો છે ત્યારે આજે એક જ દિવસમાં 37 કેસ પોઝિટિવ નોંધાતા ધોરાજીમાં વધુ ફફડાટ છવાયો છે

 

અત્યાર સુધીમાં ધોરાજીમાં 738 કેસ નોંધાઈ ચુક્યા છે અને ૩૩ થી વધુ લોકોના મોત થયા હોય તેવા પણ આંકડા મળી રહ્યા છે
ધોરાજીમાં જે આંકડા મળી રહે છે તે માત્ર ધોરાજી અને રાજકોટ રિપોર્ટ થતા હોય એ જ આંકડા પોઝિટિવના આવી રહ્યા છે
પરંતુ ધોરાજી થી જુનાગઢ જતા દર્દીઓ ના નામ ધોરાજીના રેકોર્ડ ઉપર આવતા નથી અને ત્યાં મૃત્યુ પામેલા લોકોના  નામ ધોરાજી અને રાજકોટ જીલ્લાની યાદી માં આવતા નથી તે અલગ હોય છેતે આંકડો જોતા ધોરાજી નો આંકડો આનાથી પણ વધુ હોય તેવી સંભાવના જોવા મળી રહી છે

 

(9:34 pm IST)