Gujarati News

Gujarati News

News of Friday, 12th August 2022

બગસરા સમસ્ત બ્રહ્મસમાજ દ્વારા જનોઇ બદલવાના તથા સમૂહ ભોજનના કાર્યક્રમ યોજાયો

બગસરા : બ્રહ્મ પરિવાર માટે જનોઈ બદલવાના તથા સમૂહ ભોજનના કાર્યક્રમનું  આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં બ્રહ્મ પરિવારો જોડાયા હતા. બગસરા સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા શ્રાવણી પૂનમ નિમિત્તે સીયારામ ગૌશાળા ખાતે શાસ્ત્રોત વિધિ અનુસાર જનોઈ બદલવાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં બગસરાના બ્રહ્મ પરિવારના યુવાનો જોડાયા હતા. આ તકે આશીર્વાદ પાઠવવા માટે સ્વામિનારાયણ મંદિર બગસરાના સંતો તથા રામદેવપીરના મંદિરના મહંત ઉપસ્થિત રહ્યા હતા. બગસરા બ્રહ્મ સમાજના પૂર્વ પ્રમુખ ચંદુભાઈ પંડ્યા, સમસ્ત બ્રહ્મ સમાજના પ્રમુખ મહેશભાઈ વ્યાસ, મંત્રી રાજુભાઈ બામટા દ્વારા  પવિત્ર દિવસે ગૌ પૂજન પણ કરવામાં આવ્યું હતું. સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા તમામ બ્રહ્મ પરિવાર માટે સમાજની વાડી ખાતે પ્રસાદનું આયોજન કરાયું હતું. જેમાં મોટી સંખ્યામાં બ્રહ્મ પરિવાર જોડાયા હતા.

(12:35 pm IST)