Gujarati News

Gujarati News

News of Friday, 12th August 2022

મોરબીમાં પૂ.રમેશભાઇ ઓઝાના વ્‍યાસાસને કોરોનાનાં મૃતકોના મોક્ષાર્થે કાંતિભાઇ અમૃતિયા દ્વારા ભાગવત સપ્‍તાહ

(પ્રવિણ વ્‍યાસ દ્વારા) મોરબી, તા.૧૨: મોરબીના પૂર્વ ધારાસભ્‍ય કાંતિભાઈ અમળતિયાએ કોરોના કાળમાં મળત્‍યુ પામેલા ભાઈઓ અને બહેનોના મોક્ષાર્થે ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું આયોજન કરવાનો સંકલ્‍પ લીધો હોય જે અંતર્ગત ભાઈશ્રી રમેશભાઈ ઓઝાના શ્રી મુખે શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું આયોજન કરાયું છે.

પૂર્વ ધારાસભ્‍ય કાંતિભાઈ અમળતિયા દ્વારા પ્રખર ભગવદાચાર્ય ભાઈશ્રી રમેશભાઈ ઓઝાના શ્રીમુખે આગામી તા. ૧૨ સપ્‍ટેમ્‍બરથી ૧૮ સપ્‍ટેમ્‍બર સુધી શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું આયોજન કરાયું છે જેથી કોરોના કાળમાં મળત્‍યુ પામેલા સ્‍વજનોનો ફોટો મુકવા તા. ૨૫ ઓગસ્‍ટ સુધીમાં કાંતિભાઈ અમળતિયાના કાર્યાલય, ઉમા ટાઉનશીપ મોરબી ૨ ખાતે ફોટો પહોંચાડવા જણાવ્‍યું છે. સંપર્ક - ૯૯૭૯૬૧૩૪૩૩, ૯૮૨૫૬૯૨૮૪૪.

(12:26 pm IST)