Gujarati News

Gujarati News

News of Friday, 12th August 2022

માળિયાના નવલખી બંદરે ૩ નંબરનું સિગ્નલ, માછીમારોને દરિયો ન ખેડવા સુચના

(પ્રવિણ વ્‍યાસ દ્વારા) મોરબી, તા. ૧૨: માળિયાના નવલખી બંદરે આજે ૩ નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્‍યું છે સૌરાષ્‍ટ્રના દરિયાકિનારે ફૂંકાતા પવનને ધ્‍યાને લઈને ૩ નંબરનું સિગ્નલ મુકાયું છે

નવલખી બંદરે ૩ નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્‍યું છે જેથી માછીમારોને દરિયો ન ખેડવા સુચના આપી છે તેમજ તકેદારી રાખવા પણ જાણવું છે સાથે જ નવલખી બંદરના અધિકારીઓ પણ તકેદારીના તમામ જરૂરી પગલા લઇ રહ્યા છે.

(10:22 am IST)