Gujarati News

Gujarati News

News of Thursday, 12th August 2021

જામનગરમાં નહિ નીકળે તાજીયાનું ઝુલુસ :નિતેશ પાંડે સહિતના અધિકારીઓ સાથે મુસ્લિમ આગેવાનોની બેઠકમાં લેવાયો નિર્ણય

અમદાવાદ સહિતના શહેરોમાં તાજિયાના જુલુસ નહિ કાઢવાના નિર્ણય બાદ જામનગરમાં પણ જુલુસ નહીં નીકળે

જામનગર : જામનગરમાં પણ તાજીયાનું જુલુસ નહિ કાઢવા નિર્ણય લેવાયો છે નિતેશ પાંડે સહિતના અધિકારીઓ સાથે મુસ્લિમ આગેવાનોની બેઠકમાં આ નિર્ણય લેવાયો છે કોરોના મહામારીને ધ્યાનમાં રાખીને તાજિયાના જુલુસ કાઢવા કે નહિ તે અંગે અમદાવાદ પોલીસ અને તાજિયા કમિટી વચ્ચે મીટિંગ મળી હતી. જેમાં ગત વર્ષની જેમ આ વર્ષે તાજિયાના જુલુસ ન કાઢવાનો નિર્ણય લેવાયો છે.ત્યારે આ વર્ષે તાજિયાના જુલુસ અને કતલની રાતે એક જ જગ્યાએ રહીને ઉજવણી કરી શકાશે. તાજિયાના જુલુસ નહિ નીકળે

(8:32 pm IST)