Gujarati News

Gujarati News

News of Thursday, 12th August 2021

સુરેન્દ્રનગરના ઓવરબ્રિજ ઉપર ઓવરલોડ કપચી ભરેલ ડમ્પરે ટ્યુશન કલાસથી ઘરે પરત ફરી રહેલી વિદ્યાર્થીનીને કચડી નાખી

(ફઝલ ચૌહાણ દ્વારા) વઢવાણ,તા.૧૨: સુરેન્દ્રનગર જિલ્લામાં સતત અકસ્માતો વધી રહ્યા છે ત્યારે ખાસ કરી સુરેન્દ્રનગર જિલ્લાના રોડ રસ્તાઓ ગોઝારા બની જવા પામ્યા છે. ખાસ કરી સુરેન્દ્રનગર જિલ્લાના જાહેર રોડ રસ્તા ઉપરથી પસાર થઇ રહેલા રેતી કપચી ભરેલા ડમ્પરો અવારનવાર અકસ્માતો સર્જાઈ રહ્યા છે અને લોકોનો જીવ જોખમમાં મુકી રહ્યા છે ત્યારે આ મામલે સુરેન્દ્રનગર જિલ્લા પ્રશાસન વિભાગ અને જિલ્લા કલેકટરે એ કે ઓરંગાબાદકર દ્વારા જાહેરનામું પ્રસિદ્ઘ કરી અને સાંજે ૬:૦૦ થી સવાર ના ૦૬:૦૦ સુધી રેતી અને કંપનીની હેરાફેરી ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

તે છતાં પણ ખનીજ માફિયાઓ દ્વારા સુરેન્દ્રનગર શહેરી વિસ્તારોમાંથી અને જાહેર રસ્તાઓ ઉપર થી ૬:૦૦ બાદ પણ રેતી ભરેલા ડમ્પરો લઈ અને ફેરાઓ મારવામાં આવી રહ્યા છે. અનેક લોકોની જીંદગીઓ જોખમમાં મુકી રહ્યા છે તેવા સંજોગોમાં સુરેન્દ્રનગર ઓવરબ્રિજ ઉપર વધુ એક અકસ્માત સર્જાયો છે રાત્રિના આઠ વાગ્યાના અરસામાં ગોકુલ હોટલ નજીક આવેલા ઓવર બ્રીજ ઉપર પસાર થઈ રહેલી ૧૭ વર્ષની વિદ્યાર્થીનીને ડમ્પર ચાલકે અડફેટે લેતા આ વિદ્યાર્થીનીનું ઘટનાસ્થળે જ મોત નિપજવા પામ્યું છે.

બ્રિજ ઉપરથી રાત્રિના આઠ વાગ્યે ટ્યુશન કલાસ છુંટેલી વિદ્યાર્થીની સાઇકલ લઈ અને પોતાના ઘરે પરત ફરી રહી હતી તે સમયે ઓવરબ્રિજ ઉપર બેફામ પુરપાટ ઝડપે આવતું ઓવરલોડ કપચી ભરેલું ડમ્પર ચાલકે આ વિદ્યાર્થીનીને ડમ્પરની અડફેટે લેતા આ વિદ્યાર્થીનીનું ઘટના સ્થળેજ મોત નિપજવા પામ્યું છે. જેને લઇને ચકચાર વ્યાપી જવા પામ્યો છે ત્યારે આ અકસ્માત સર્જાયા બાદ લોકોના ટોળેટોળાં ઘટનાસ્થળે ઉમટી પડ્યા હતા અને ડ્રાઈવરને દ્યેરી લેવામાં આવ્યો હતો.

આ મામલે સુરેન્દ્રનગર બી ડિવિઝન પોલીસને જાણકારી થતા તાત્કાલિક પણ એ બી ડિવિઝન પોલીસ મથકના પીએસઆઇ સોલંકી તથા તેમની ટીમે દ્યટનાસ્થળે દોડી ગઇ હતી અને આ મામલે વધુ પોલીસ તપાસ હાથ ધરવામાં આવી હતી ડમ્પર ચાલકની અટકાયત કરવામાં આવી છે નામ દિયા હોવાનું ખુલવા પામ્યું હતું.

ત્યારે સુરેન્દ્રનગર બી ડિવિઝન પોલીસ દ્વારા ડમ્પરના ટાયર માંથી આ દિયા નો મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો હતો અને તેની ડેડ બોડીને પીએમ માટે સુરેન્દ્રનગરની ગાંધી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી.

જૈન સમાજની ૧૭ વર્ષની દીકરીનું મોત નિપજવા પામ્યું છે.જેને લઈને સુરેન્દ્રનગર જૈન સમાજ શોકમગ્ન બની જવા પામ્યો છે કોરોનાની મહામારીમાં આ જૈન સમાજની દીકરી પોતાના પિતાની છત્ર છાયા કોરોના મા ગુમાવી ચૂકી હતી અને પોતે બારમા ધોરણમાં અભ્યાસ કરી રહી હતી.

(11:32 am IST)