Gujarati News

Gujarati News

News of Monday, 12th July 2021

માંગરોળ અને કલ્યાણપુરમાં ૧ ઈંચઃ રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં મેઘાવી માહોલ

રાજકોટ, તા. ૧૨ :. રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં શનિવારથી શરૂ થયેલ મેઘાવી માહોલ આજે સતત ત્રીજા દિવસે યથાવત છે. આજે જૂનાગઢ જિલ્લાના માંગરોળમાં સવારથી બપોર સુધીમાં ૨ ઈંચ વરસાદ વરસ્યો છે.

દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુરમાં ૧ ઈંચ તથા દ્વારકા શહેરમાં ધીમી ધારે ઝાપટા રૂપે ૫ મી.મી. વરસાદ વરસ્યો છે.

ગીર સોમનાથ જિલ્લાના વેરાવળમાં પણ ઝાપટારૂપે ૩ મી.મી. વરસાદ વરસ્યો છે.

જૂનાગઢના પ્રતિનિધિ વિનુ જોશીના અહેવાલમાં જણાવાયુ છે કે, આજે સવારના ૮ થી ૧૦ વાગ્યા દરમિયાન ૧ ઈંચ વરસાદ ત્યાર બાદ ૧૦ થી ૧૨ દરમિયાન વધુ ૧ ઈંચ સાથે સવારના ૮ થી ૧૨ દરમિયાન ૪ કલાકમાં ૨ ઈંચ વરસાદ વરસ્યો છે.

(1:18 pm IST)