Gujarati News

Gujarati News

News of Monday, 12th July 2021

શ્રી દ્વારકાધીશ જગત મંદિરે પુજારી પરિવાર દ્વારા રથયાત્રા ઉત્સવ

ખંભાળિયા-દ્વારકા : દેવભૂમિ દ્વારકા જિલ્લાના દ્વારકા સ્થિત શ્રી દ્વારકાધીશ જગત મંદીર ખાતે અષાઢ – સુદ ૨ (બીજ) એટલે કે, અષાઢી બીજનો રથયાત્રા ઉત્સવ શ્રી દ્વારકાધીશ મંદીરના પુજારી પરિવાર દ્વારા ઉજવવામાં આવ્યો હતો. આ અંગે દ્વારકા પ્રાંત અધિકારીશ્રી નિહાર ભેંટારીયાએ કોરોના વાયરસ કોવિડ – ૧૯ના સંક્રમણને અટકાવવાના હેતુસર આ રથયાત્રા ઉત્સવ દરમ્યાન બપોરે ૨ થી ૪ વાગ્યા સુધી શ્રી દ્વારકાધીશ જગત મંદીરમાં જાહેર જનતા માટે પ્રવેશ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો તેમ જણાવ્યું હતું. વધુમાં તેમણે આ રથયાત્રા ઉત્સવ બાદ સાંજે મંદીર નિત્ય ક્રમ મુજબ જાહેર જનતા માટે દર્શનાર્થે ખુલ્લું મુકવામાં આવશે તેમ પણ ઉમેર્યું હતું.

(12:02 pm IST)