Gujarati News

Gujarati News

News of Monday, 12th July 2021

પડધરી નજીક વાહન અકસ્‍માતમાં ઘવાયેલા રણજીતભાઇ ચાવડાનું મોત

રાજકોટ,તા. ૧૨: પડધરી નજીક મુરલીધર હોટલ પાસે વાહન અકસ્‍માતમાં ઘવાયેલા યુવાને રાજકોટની ખાનગી હોસ્‍પિટલમાં દમ તોડી દેતા પરિવારમાં શોકવ્‍યાપી ગયો છે.

મળતી વિગત મુજબ ખંઢેરી ગામમાં રહેતા રણજીતભાઇ રામભાઇ ચાવડા (ઉવ.૪૨) બે દિવસ પહેલા જતા હતા ત્‍યારે પડધરી નજીક મુરલીધર ગ્રાન્‍ડ હોટલ પાસે અકસ્‍માત થતા તેને માથા તથા શરીરે ઇજા થઇ હતી. બાદ તેને સારવાર માટે રાજકોટની ખાનગી હોસ્‍પિટલમાં ખસેડાયા હતા. ત્‍યાં ગઇ કાલે તેનુ સારવાર દરમ્‍યાન મોત નિપજ્‍યુ હતું. આ બનાવ અંગે ગાંધીગ્રામ પોલીસે પ્રાથમીક કાગળો કરી પડધરી મોકલવા તજવીજ હાથ ધરી છે.

(11:45 am IST)