Gujarati News

Gujarati News

News of Monday, 12th July 2021

વાંકાનેર સહિત સમગ્ર ગુજરાતમાં વરસાદ થાય તે માટે માર્કેટીંગ યાર્ડ પરિવાર દ્વારા દુઆ-પ્રાર્થના

શાહબાવાની દરગાહે ચાદર ચઢાવી અને નાગાબાવાજીની જગ્‍યાએ વષાો ઓઢાડી-પ્રાર્થના-દુઆ કરવામાં આવેલ

(નિલેશ ચંદારાણા દ્વારા) વાંકાનેર તા. ૧ર :.. વાંકાનેર અને સમગ્ર ગુજરાતમાં સારો વરસાદ થાય સર્વત્ર લીલા લહેર સાથે સમગ્ર દેશમાં શાંતિ ભાયચારો સાથે દેશ સમૃધ્‍ધ બને તેવી શુભ ભાવના સાથે દર વર્ર્ષ વાંકાનેર માર્કેટીંગ યાર્ડ પરિવાર જેમાં માર્કેટીંગ યાર્ડના સદસ્‍યો વેપારીઓ મજૂરો અને કમીશન એજન્‍ટના ભાઇઓ દ્વારા વાંકાનેરને વસાવનાર બન્ને સંત ઓલીયા હઝરત શહેનશાહે શાહબાવા અને રાજયગુરૂ સંત શ્રી નાગાબાવાજીની જગ્‍યાએ ચાદર અને ઝભ્‍ભો-ટોપી સાથેના વષાો અને ભજીયા- જલેબી અને શ્રીફળ ધરાવી સારા વરસાદની દુઆ-પ્રાર્થના કરવામાં આવે છે.

આ વર્ષ પણ જુના દાણાપીઠ ખાતેથી માર્કેટીંગ યાર્ડ પરિવારના મોટી સંખ્‍યામાં શાહબાવાની દરગાહ માટે ચાદર અને નાગાબાવાજીની જગ્‍યા માટે ઝભ્‍ભો - ટોપી અને પ્રસાદ સાથે બન્ને સંત ઓલીયાની જય જયકાર સાથે પદયાત્રા કરી પ્રથમ શાહબાવાની દરગાહે ચાદર સોળ ચઢાવી. દરગાહ ખાતે દાઉદશાબાપુએ સૌ વતી દુઆ કરી હતી. ત્‍યારબાદ સામા છેડે શ્રી નાગાબાવાજીની પ્રતિમાને ઝભ્‍ભો અને ટોપીનો વષાો પરિધાન કરી ત્‍યાં પણ મંદિરના પુજારી ગોસ્‍વામીબાપુ અને સૌએ જય જયકાર કરી પ્રાર્થના કરી હતી.

(10:51 am IST)