Gujarati News

Gujarati News

News of Monday, 12th April 2021

જામજોધપુરમાં યાર્ડમાં ૩ કલાકમાં અધધ ૪૦ હજાર ગુણી ધાણા આવ્યા

જામજોધપુરઃ માત્ર ૩ કલાકમાં ૪૦૦૦૦ ગુણી ધાણાની આવક થઇ છે. જેથી ત્રણ કિલોમીટર સુધી ધાણા વેચવા માર્કેટીંગ યાર્ડ આવનાર વાહનોની કતાર લાગી હતી ત્યારે માર્કેટીંગ યાર્ડમાં ધાણા તથા જણસી વેચવા આવનાર ખેડૂતોને પુરતી સુવિધા મળી રહે તે માટે માર્કેટીંગ યાર્ડના પ્રમુખ દેવાભાઇ પરમાર દ્વારા કર્મચારીઓ સાથે જરૂરી ચર્ચા કરી સુચનો આપેલ જામજોધપુર માર્કેટીંગ યાર્ડમાં સારો વ્યાજબી ભાવ અને ખેડૂતોને રોકડા પૈસા મળી જતા હોય જેથી ધાણા તેમજ વિવિધ જણસીની સારી એવી આવક થઇ રહી છે.

(12:00 pm IST)