Gujarati News

Gujarati News

News of Monday, 12th February 2018

ધોરાજીમાં વિદ્યાર્થીઓનો શપથગ્રહણ સમારોહ

ધોરાજીઃ અહીયા જેતપુર રોડ ઉપર આવેલ સરસ્વતી બીએસસી નર્સીંગના પ્રથમ વર્ષના નર્સીંગના ૭૦ વિદ્યાર્થીઓને કેબીનેટ મંત્રી જયેશભાઇ રાદડીયા, મુકેશભાઇ જાદવ, પ્રજ્ઞાબેન ડાભી (ગુજરાત નર્સીંગ કાઉન્સીલ), ટ્રસ્ટી મુકતાબેન વઘાસીયા, સંસ્થાના પ્રમુખ શામજીભાઇ વૈષ્ણવ, ટ્રસ્ટી હરીભાઇ વઘાસીયા, સહકારી અગ્રણી ગોરધનભાઇ ધામેલીયા સહિતનાની ઉપસ્થિતિમાં શપથગ્રહણ કરાવાયા હતા. આ તકે પ્રજ્ઞાબેનને પ્રમાણપત્ર આપી તથા શામજીભાઇને તૈલીચિત્ર આપી સન્માનિત કરાયા હતા. કાર્યક્રમને સફળ બનાવવા સંસ્થાના મંત્રી રણછોડભાઇ વઘાસીયા, પ્રિન્સીપાલ રાધાબેન વિરમગામ, તૃષાબેન ઠુંમર, ગુણવંતભાઇ પંચાલ અને કોલેજ સ્ટાફે જહેમત ઉઠાવી હતી.

(10:22 am IST)