Gujarati News

Gujarati News

News of Friday, 12th January 2018

મોરબીની શાળામાં 'ગર્ભસંસ્કાર' વિષય હેઠળ વિચાર ગોષ્ટીનો કાર્યક્રમ યોજાયો

 મોરબીમાં સરસ્વતી શિશુમંદિર શાળા ખાતે 'ગર્ભસંસ્કાર' વિષય હેઠળ વિચાર ગોષ્ટીના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પંચકર્મ વિભાગ ગુજરાત આયુર્વેદિક યુનિ.ના અધ્યક્ષ ડો. હિતેશભાઈ જાની મુખ્ય વકતા તરીકે ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમના અંતમાં જયંતીભાઈ રાજકોટિયાએ જણાવ્યું હતું કે, આગામી દિવસોમાં મોરબીમાં સ્વ. જયશ્રીબેન જીવરાજભાઈ ફૂલતરીયા શિશુપરામર્શ કેન્દ્રની ઙ્ગશરૂઆત કરવામાં આવશે. આ વિચાર ગોષ્ઠીમાં શાળાના આચાર્ય, વ્યવસ્થાપકો તથા મોરી સંખ્યામાં વાલીઓ ઉપસ્થિત રહીને ગર્ભસંસ્કાર વિશે જાણકારી મેળવી હતી.

(11:49 am IST)