Gujarati News

Gujarati News

News of Friday, 12th January 2018

ટંકારા-મિંતાણામાં કરૂણા અભિયાન હેઠળ ઘાયલ પંખીઓને સારવાર કામગીરી

ટંકારા તા. ૧૧ :.. ટંકારા તથા મિંતાણા ખાતે કરૂણા અભિયાન શરૂ કરાયેલ છે.

દર વર્ષે ઉતરાયણના પર્વના સમય ગાળા દરમ્યાન નિર્દોષ પક્ષીઓ પતંગની દોરીથી ઘાયલ થવાના સંખ્યાબંધ બનાવો બને છે. ઘાયલ પક્ષીઓ પ્રત્યે કરૂણા દાખવવા તથા નિર્દોષ પશુ-પંખીઓને જીવતદાન મળી રહે તે માટે, ટંકારા તથા મિંતાણા ખાતે પશુપાલન ખાતા દ્વારા કરૂણા અભિયાન શરૂ કરાવેલ છે.

ટંકારા ખાતે ડો.જે.પી.ઉધરેજા ટંકારા મો. ૯૯૭૪૩ ૪ર૬૪૦ તથા ડો. જે. કે.પટેલ મિતાણા મો. નં. ૯૮રપર ૯૬૧૦૧ ઉપર નિર્દોષ પશુ -પંખીઓને બચાવવા સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.

(11:48 am IST)