Gujarati News

Gujarati News

News of Wednesday, 11th November 2020

જેતપુર મોટી હવેલી ખાતે બિરાજતા પૂ. કલ્યાણરાયજી મહારાજશ્રીની કાલે પુષ્પાંજલિ સભા

જેતપુર :  શહેરના ટાવર ચોક વિસ્તારમાં આવેલ મોટી હવેલી ખાતે બિરાજતા પૂ. પા. ગો. શ્રી કલ્યાણરાયજી મહારાજ તા.૮ ના રોજ નિત્ય લીલામાં પ્રવેશ થયેલ હોય પૂજ્ય શરીને પુષ્પાંજલિ અર્પણ કરવા આવતી કાલ તા. ૧૨ ગુરુવાર ના રોજ સાંજે ૪ થી ૫ કલાકે લેઉઆ પટેલ સમાજ, ધોરાજી રોડ, રેલ્વે ફાટક પાસે, પૂ. પા. ગો. શ્રી કિશોરચંદ્ર જી મહારાજ (મોટી હવેલી જૂનાગઢ) ના અધ્યક્ષ પદે વાક પુષ્પાંજલિ સભાનું આયોજન કરવા માં આવેલ છે. તો આ પુષ્પાંજલિ સભામાં તમામ વૈષ્ણવ સૃષ્ટિ ને પધારવા મોટી હવેલી ઉત્સવ સમિતિ, બાલ કૃષ્ણ યુવા મંચ, બાલ કૃષ્ણ મહિલા મંડળ, બાલ કૃષ્ણ ઘોરી ધૂમડ ગૌશાળા ટ્રસ્ટે અખબારી યાદીમાં જણાવ્યું છે

(6:50 pm IST)